Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૮: વડોદરામાં ઓર્ગેનાઈઝડ ક્રાઈમ આચરતી ટોળકીને પોલીસે પકડી પાડ્યા પછી રિમાન્ડ પર રહેલા એક બુટલેગરે જામનગર તેમજ અમદાવાદ રેલવે સ્ટેશન પાસે દુકાનોમાં રોકાણ કર્યાની વિગત ઓકી નાખતા પોલીસે તે દિશામાં તપાસ આરંભી છે.
વડોદરા શહેરમાં વસવાટ કરતા અને માથાભારે બુટલેગર તરીકે જાણીતા રવિ દેવજાની સહિતના આઠ સામે પોલીસે ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુન્હા નિયંત્રણ અધિનિયમ (ગુજસી ટોક) કાયદા હેઠળ ગુન્હો નોંેંધી આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
આરોપી પૈકીના રવિની પૂછપરછ દરમિયાન તેણે પોતાના સાગરિત અલ્પુ સિંધીનું પણ નામ આપ્યું છે. તે શખ્સની પણ શરૂ કરાયેલી શોધ દરમિયાન અલ્પુ સિંધી સહિતના પાંચ આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
હાલમાં રિમાન્ડ પર રહેલા રવિ દેવજાનીએ પોલીસ સમક્ષ કબૂલ્યા મુજબ તેની સામે બાવીસ ગુન્હા નોંધાયેલા છે. તેનો સાગરિત અલ્પુ સિંધુ અવારનવાર અમદાવાદ તથા જામનગર તેને લઈ જતો હતો ઓર્ગેનાઈઝડ ક્રાઈમ આચરતી આ ટોળકીના અલ્પુ સિંધીએ જામનગર તથા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પાસે દુકાનોમાં રોકાણ કર્યું હોવાની પણ વિગત આ આરોપીએ ઓકી નાખી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial