Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૨૮: ખંભાળિયામાં ૫૦ વર્ષ કરતાં વધારે જુની એસએનડીટી હાઈસ્કૂલ (સંસ્કાર એજ્યુ. ટ્રસ્ટ સંચાલિત)ના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન તા. ૩૧-૫-૨૫ તથા ૧-૬-૨૫ના બે દિવસ માટે યોજવામાં આવ્યું છે.
આ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરીને અનેક છાત્રો, ડોકટરો, વકીલો, ઈજનેરો, આગેવાનો, ઉચ્ચ અધિારીઓ અગ્રણી રાજકારણીઓ, સરકારી અધિકારીઓ થયા હોય ૧૯૭૦ થી ૨૦૨૪ સુધીમાં ૫૪ વર્ષમાં અહીંથી ભણીને ઘણાં છાત્ર છાત્રાઓ વિદેશ પણ ગયા હોય આ તમામ પોતાની જુની શાળામાં આવીને શાળાના અભ્યાસના સંસ્મરણો તથા મીઠી યાદો તાજી કરશે. જેમની સાથે ભૂતપૂર્વ શિક્ષકો તથા સ્ટાફ પણ ઉપસ્થિત રહેશે.
આ સંસ્થાના ટ્રસ્ટીઓ પરાગભાઈ બરછા, શૈલેષભાઈ કાનાણી, બિપિનભાઈ ગોકાણી, શાળાના આચાર્યો દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial