Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૮: જામનગરમાં વધુ બે સ્થળોએ ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ફ્લાયઓવર બ્રીજનું નિર્માણ કરવામાં આવનાર છે. આશરે ૧૪૦ કરોડના ખર્ચે બે નવા ફ્લાયઓવર બ્રીજને આવતીકાલે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં બહાલી આપવામાં આવશે, તેમ જાણવા મળે છે.
જામનગરમાં હાલ લાલપુર ચોકડી તથા હાપા માર્કેટ યાર્ડ અને સુભાષ બ્રીજથી સાત રસ્તા માર્ગ ઓવરબ્રીજ નિર્માણ કામગીરી ચાલી રહી છે, ત્યારે સમર્પણ સર્કલ અને ઠેબા ચોકડી પાસે રૂ. ૧૪૦ કરોડના ખર્ચે વધુ બે ફ્લાયઓવર બ્રીજ બનાવવા આયોજન થયું છે. આ માટેના ટેન્ડરો બહાર પડી ચૂક્યા છે, માત્ર સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી બાકી છે. ગુરુવારે મળનારી બેઠકમાં મંજુરી મળી જશે તેમ માનવામાં આવે છે.
સમર્પણ ચોકડી પાસે ટ્રાફિક સમસ્યા થતી હોવાથી રૂ. પર.પ૭ કરોડના ખર્ચે ત્યાં ફ્લાયઓવર બ્રીજ બનાવાશે. આ ઉપરાંત ઠેબા ચોકડી પાસે પણ રૂ. ૮૯.૧ર કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રીજ નિર્માણ કરવામાં આવનાર છે.
આવતીકાલ ગુરુવારે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળશે જેમાં આ બન્ને ફ્લાયઓવર બ્રીજની દરખાસ્તો રજૂ થશે. જેને મંજુરી મળે તેવી શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial