Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વજીર ખાખરીયામાં મજૂરી કરતો પરિવાર હતપ્રભઃ
જામનગર તા. ૧૯: કાલાવડના વજીર ખાખરીયામાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદના એક પ્રૌઢની સત્તર વર્ષની પુત્રીએ કાલાવડમાં ભરાતી ગુજરીબજારમાં જવાની ઈચ્છા માતા સમક્ષ વ્યક્ત કર્યા પછી ના પાડવામાં આવતા માઠું લાગી આવવાથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે.
કાલાવડ તાલુકાના વજીર ખાખરીયા ગામમાં આવેલા ગીરધરભાઈ અકબરીના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ગોવિંદી ગામના વતની ભલાભાઈ મથુરભાઈ બારીયા નામના શ્રમિકની સત્તર વર્ષની પુત્રી સુશીલાબેને ગઈકાલે બપોરે પોતાના માતા ચકુબેન સમક્ષ બુધવારે કાલાવડમાં ભરાતી ગુજરી બજારમાં જવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ વેળાએ માતા ચકુબેને આ બુધવારે નહીં આવતા બુધવારે ગુજરી બજારમાં જવાનું કહેતા આ તરૂણીને માઠું લાગી આવ્યું હતું. તેણીએ ખેતરમાં બનાવી આપવામાં આવેલી રહેણાંકની ઓરડીમાં લોખંડના એંગલમાં ચુંદડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.
તેની જાણ થતાં સુશીલાબેનને નીચે ઉતારી સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેણીનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. પિતા ભલાભાઈ બારીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial