Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે સાત મોબાઈલ કબજે કરી લીધાઃ
જામનગર તા. ૧૯: જામનગરમાં મોબાઈલની એક દુકાનમાં નોકરી કરતા શખ્સે ચાર મહિનામાં રૂ.૯ લાખથી વધુની કિંમતના ૧પ મોબાઈલ દુકાન માલિકની જાણ બહાર સેરવી લીધાની કરાયેલી ફરિયાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી ૭ મોબાઈલ કબજે કર્યા છે.
જામનગરના પંડિત નહેરૂ માર્ગ પર આવેલા અંબર ચોકડી વિસ્તારમાં પંચરત્ન કોમ્પલેક્ષ સ્થિત યશ મોબાઈલ નામની દુકાન ચલાવતા રાજેશભાઈ ખોડુભાઈ ગોહિલે પોતાની દુકાનમાં નોકરી કરતા કિશન ચેતનભાઈ બાવરીયાએ રૂ.૯ લાખ ૧૦ હજારના ૧પ જેટલા મોબાઈલ તફડાવી લીધાની પોલીસમાં ફરિયાદ કરી હતી.
તે ગુન્હાની નોંધ કરી પોલીસે શરૂ કરેલી તપાસમાં ગઈકાલે આરોપી કિશન ચેતનભાઈની પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સ પાસેથી હાલમાં ૭ મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે અને બાકી ના મોબાઈલ પરત મેળવવા માટે ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial