Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વંદે માતરમ્ ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. ૧૯: જામનગરના વંદે માતરમ્ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સ્વ. ધર્મેશભાઈ કુબાવતના સ્મરણાર્થે તા. ૬-૧૧-ર૦રપ, રવિવારના લાઈફ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના જરૂરિયાતમંદ વિસ્તારના બાળકો માટે પ્રવાસ તથા ભોજનનું આયોજન ખોડિયાર મંદિર, બે ભાઈ ડુંગરે કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો માટે મીઠાઈની સેવા સ્વ. હર્ષિદાબેન રાઠોડના સ્મરણાર્થે કરવામાં આવી હતી.
આ અવસરે સૂર્યમૂખી હનુમાનજી મંદિરના મહંત આશીષગિરીજી બાપુએ ખાસ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા હતાં. આ સેવાકીય કાર્યક્રમને સફળ બનાવવામાં ઉત્તમ રાય રાયચૂરા, મેહુલ જોષી, હેમાંગ જોષી, તેજસ કનૈયા, હર્ષલ જોષી, રાજેશ તન્ના, ભાવિક રાઠોડ, હાર્દિક શુકલ, અજયરાજસિંહ રાણા, કુણાલ આચાર્ય, દર્શનભાઈ વિગેરે સભ્યોએ જહેમત ઉઠાવી હતી. તેમજ આ સેવાયજ્ઞમાં સહયોગી સર્વે દાતાઓનો સંસ્થાએ આભાર માન્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial