Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેક પરતની ફરિયાદની અપાઈ ધમકીઃ
જામનગર તા. ૧૯: ખંભાળિયાના એક આસામીએ રૂ.૩ લાખ વ્યાજે લીધા પછી રૂ.૪ લાખ ચૂકવ્યા પછી પણ વધુ બે લાખની માગણી કરી એક શખ્સે પોતાની પાસે રહેલો આ આસામીનો ચેક બેંકમાં નાખી પરત ફેરવવાની ધમકી આપતા આખરે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
ખંભાળિયા શહેરમાં ઝવેરી બજાર પાસે જોષી ફળીમાં રહેતા પ્રતીકભાઈ જગદીશભાઈ દોઢીયા નામના યુવાને ગયા વર્ષના માર્ચ મહિનામાં ખંભાળિયાના શક્તિનગર પાસે ગાયત્રી નગરમાં રહેતા નિર્મળસિંહ જટુભા ઝાલા ઉર્ફે નિરૂભા પાસેથી રૂ.૩ લાખ પ ટકાના વ્યાજ લેખે મેળવ્યા હતા.
ત્યારપછી વ્યાજ પેટે પ્રતીકભાઈએ રૂ.૪ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં વધુ રૂ.ર લાખની નિરૂભા દ્વારા માગણી કરવામાં આવતી હતી. તે દરમિયાન પ્રતીકભાઈ પાસેથી કોરો ચેક મેળવી લેવા ઉપરાંત તેઓની મોટર પડાવી લેવાઈ હતી અને આ મોટરની આરસી બુક તેમજ ટીટીઓ ફોર્મ પણ લઈ લેવાયું હતું.
મેળવાયેલો ચેક બેંકમાં રજૂ કરી પરત ફેરવ્યા પછી અદાલતમાં ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવતા આખરે પ્રતીકભાઈએ ખંભાળિયા પોલીસ મથકમાં ગઈકાલે નિર્મળસિંહ જટુભા સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial