Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈ હોદ્દા નહીં : લોકો અને તંત્ર વચ્ચે કડીરૂપ સેવાનો અભિગમ
ખંભાળીયા તા. ૧૯: ખંભાળીયામાં સ્થાનિક પ્રશ્નોનો નિકાલ આવે તથા તંત્રને રજૂઆત કરી લોકોની સમસ્યા હલ થાય તે માટે 'સત્યમેવ જયતે' ગ્રુપની સ્થાપના અગ્રણી તથા પત્રકાર વિનાયક ભટ્ટની આગેવાનીમાં કરવામાં આવી હતી. જેમાં કોઈપણ હોદ્દા વગર લોકોના પ્રશ્નો હોય તેને સંબંધિત અધિકારી પાસે લઈ જવા અને તેનો નિકાલ કરવા માટે કામ કરવાની ઉમદા ભાવના સાથે આ ગ્રુપની શરૂઆત થઈ હતી, તથા તેમાં સૌપ્રથમ જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં વિનાયક ભટ્ટ, ભરતભાઈ શુકલ, કમલભાઈ ત્રિવેદી, પરેશભાઈ સામાણી, કાંતિભાઈ મોમૈયા, સતીશભાઈ નકુમ, સુનીલભાઈ નકુમ, રાજુભાઈ રાજ્યગુરૂ, પપુભાઈ જોશી, વિજયભાઈ નકુમ જોડાયા હતા.
રેલવે, બસસ્ટેશન, ટ્રાફિક શહેરની સ્થાનિક સમસ્યા, સફાઈ સહિતના પ્રશ્નો અંગે ક્રમશઃ આ ગ્રુપ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial