Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતો પાક રક્ષણ માટે વીજ પ્રવાહ ગોઠવતા
જામનગર તા. ૧૯: જામનગર તાલુકાના ચેલા ગામ નજીક એક ખેડૂતે પોતાના વાડી ખેતરના સેઢે તારની વાડ કરી તેમાંથી વીજ પ્રવાહ પસાર કર્યો હોવાથી તેના વીજ શોકના કારણે છ ગાય માતાના મૃત્યુ નિપજ્યા હતાં. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર તાલુકાના ચેલા ગામની સીમમાં વાડી વિસ્તારમાં ગઈકાલે અડધો ડઝન જેટલી ગાયના મૃતદેહ નજરે ચઢ્યા હતાં તથા નજીકના વિસ્તારમાં અમુક ગાયના હાડપીંજર પણ જોવા મળ્યા હતાં. આ બનાવની જાણ થતા જ અમુક ગૌપ્રેમીઓ ત્યાં દોડી ગયા હતાં. ઉપરાંત સ્થાનિક લોકો પણ એકત્ર થયા હતાં. આ અંગે ગામના ઉપસરપંચ કિરણ સોલંકી દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ ટૂકડી પણ બનાવ સ્થળે દોડી આવી હતી, અને જ્યાં બનાવ બન્યો હતો તે વાડી માલિક રવિભાઈની પૂછપરછ કરી હતી.
જે તપાસમાં ખૂલવા પામ્યું હતું કે, વાડી માલિકે કપાસનું વાવેતર કર્યું હતું અને જંગલી પશુ વાવેતરને નુક્સાન પહોંચાડે નહીં તે માટે વાયરની ફેન્સીંગ બનાવી તેમાંથી વીજપ્રવાહ પસાર કર્યો હતો. એટલે કે ઝાટકા મશીન ત્યાં રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત વીજ પ્રવાહ મેળવવા નજીકના વીજ પોલમાંથી ગેરકાયદે વીજ જોડાણ પણ મેળવ્યું હતું.
આ પછી ત્યાંથી પસાર થતી ગાયો કરંટવાળા વીજ તારને અડી જતા છ ગાયના મૃત્યુ થયા હતાં. આ મામલે પોલીસે ચોપડામાં નોંધ કરી છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial