Advertisement
Author: નોબત સમાચાર

સલાયા-સોડસલા માર્ગે સંખ્યાબંધ વૃક્ષોનો સોથ વાળી દેવાતા પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ

વર્ષોના જતન પછી ઉછરેલા તોતિંગ વૃક્ષો કાપવાનું કારણ શું?

                                                                                                                                                                                                      

સલાયા તા. ૧૯: હાલ સમગ્ર દુનિયામાં પર્યાવરણને બચાવવા અનેક સંસ્થાઓ અને લોકો વૃક્ષો વાવે છે અને એનું જતન કરે છે. વૃક્ષોને ગેરકાયદેસર કપાવવાથી હાલ પર્યાવરણને ભારે નુક્સાન થઈ રહ્યું છે, ત્યારે હમણાં સલાયા અને સોડસલા વચ્ચેના રોડ ઉપર લગભગ ૪ થી પ જેટલા મોટા વૃક્ષો કાપવામાં આવ્યા છે અને અમુક વૃક્ષોની મોટી મોટી શાખાઓને કાપી અને ભારે નુક્સાન પહોંચાડવામાં આવ્યું છે. આ દૃશ્યો જોઈ પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ પ્રગટ્યો છે. હાલ ત્યાં પીજીવીસીએલની કામગીરી ચાલુ હોય એવુંજણાય છે.

દરેકના મોઢે એક જ વાત થઈ રહી છે કે આટલા વર્ષોના જતન પછી મોટા થયેલા આ વૃક્ષોનું કાપવાનું કારણ શું? જો આવી રીતે જ વૃક્ષોનું છેદન ભવિષ્યમાં થતું રહેશે તો પર્યાવરણને આવનારા સમયમાં ભારે નુક્સાન થશે, તો આ બાબતે યોગ્ય તપાસ કરી અને વનવિભાગે આખી નોંધ લેવી જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh