Advertisement
Author: નોબત સમાચાર

જોડીયા તાલુકાની જીરાગઢ પ્રા.શાળાના આચાર્યને ગ્રામજનોએ આપી ભાવભરી વિદાય

બે દાયકાની સેવાને બિરદાવાઈઃ મોરબી જિલ્લામાં બદલી

                                                                                                                                                                                                      

જોડીયા તા. ૧૯: જોડીયા તાલુકાની જીરાગઢ પ્રાથમિક શાળાના આચાર્યનો ગ્રામજનો દ્વારા માનભેર વિદાય કાર્યક્રમ યોજાયો હતો, અને બે દાયકાની તેઓની સેવાને બિરાદાવાઈ હતી.

જોડીયા તાલુકાની જીરાગઢ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને આચાર્ય તરીકે કામગીરી કરતા રાજેશભાઈ ડાંગરની મોરબી જિલ્લામાં બદલી થતાં શાળામાં વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

શાળામાં ૨૧ વર્ષ સુધી ફરજ બજાવીને ગ્રામજનો સાથેના અતૂટ ગાઢ સંબંધો બન્યા છે. જેમને શાળા પોતાની ફરજ દરમ્યાન શાળા અને બાળકો માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી સફળતાના શિખરે પહોંચાડવા તનતોડ મહેનત કરી હતી. તેઓની બદલીથી મોરબી જિલ્લાની નસિતપાર પ્રા. શાળામાં બાળકો માટે એક વોટર કુલરની ભેટ આપી હતી. અને દરેક બાળકોને સ્ટેશનરી કીટ આપી તેમણે ઋણ સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગે જોડીયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગરચર, તાલુકા સંઘના પ્રમુખ ભાવેશભાઈ પનારા, મંત્રી ગેલાભાઈ જારીયા, બી.આર.સી. જામી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ રાઠોડ, તાલુકા પંચાયતના વિસ્તાર અધિકારી વિનુભાઈ ચૌહાણ તથા અન્ય આચાર્યો, શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh