Advertisement
Author: નોબત સમાચાર

ખેડૂતોને રાહત પેકેજના નામે રાજ્ય સરકાર દ્વારા છેતરપિંડી કરાયાનો આક્ષેપ

કિસાન કોંગ્રેસ પ્રમુખ દ્વારા

                                                                                                                                                                                                      

ખંંભાળીયા તા. ૧૯: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માવઠાના સંદર્ભમાં થયેલ પાક નુકસાનીના સંદર્ભમાં દસ હજાર કરોડની સહાય જાહેર કરીને ઐતિહાસિક સહાયના ગાણા ગાય છે, ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ તથા દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયાએ રાહત પેકેજના નામે ગુજરાતના ખેડૂતો સાથે સરકાર છેતરપિંડી કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

તેમણે જણાવેલ કે દસ હજાર કરોડની સહાય જાહેર થઈ પણ પાંચ હજાર પણ નહીં ચૂકવાયા !! સરકારે ત્રણ ખાતા ધરાવતા એક ખેડૂતને એક જ ખાતામાં સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ખરેખર નુકસાન તો તેને તમામ ખેતરોમાં થયું હોય, પણ સહાય એક જ ખેડૂતને !! આવી જ રીતે મૃત ખેડૂતોના ભાયુ ભાગ થઈ ગયા હોય તો પણ જો સરકારી ખાતેદાર હોય તો એક જ વ્યક્તિને સહાય મળશે, આમ ઓછા રૂપિયા આપવા પડે તેથી નિયમોમાં ફેરફાર કરે છે. અગાઉ મુખ્યમંત્રી કિસાન યોજનામાં સહાય હેક્ટરે ૨૫ હજાર અને ચાર હેકટરમાં હતી, જ્યારે આ વર્ષે ભલે દસ હજાર કરોડ હોય, પણ હેકટરે ૨૨ હજાર જ છે અને તે પણ બે હેકટરમાં જ સરકારે હેકટર પણ ઘટાડયા અને હેકટર દીઠ રકમ પણ ઘટાડી !!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh