Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ સ્થળ પર ૨૪ અરજીનો હકારાત્મક નિકાલ

કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને ધ્રોલ પ્રાંત અધિકારીની કચેરીમાં ધ્રોલ તાલુકાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા સ્વાગતમાં આવેલી ૨૯ અરજીઓ પૈકી ર૪ અરજીનો સ્થળ પર જ ત્વરીત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું.

ધ્રોલ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોના પ્રશ્નોને જિલ્લા કલેકટરે ધ્યાનથી સાંભળ્યા હતા. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે મહેસૂલ વિભાગ, પંચાયત, નગરપાલિકા તથા સિંચાઈ વિભાગને લગત પ્રશ્નો અરજદારો દ્વાર રજૂ કરાયા હતા જેનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ આવતા અરજદારોએ સંતોષ વ્યક્ત કર્યાે હતો. ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સીસલે, મામલતદાર તથા લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh