Advertisement
Author: નોબત સમાચાર

કંપની વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં તંત્રની લાપરવાહી...!

ખંભાળીયા-જામનગર રોડ પર ખાનગી કંપની દ્વારા ૧૩૦૦ મીટર જગ્યા પર દબાણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: ખંભાળીયા-જામનગર રોડ પર આવેલ એક ખાનગી કંપની, જે અગાઉ દાલમીંયા કંપની કહેવાતી તથા પાંચ-સાત વર્ષે કંપનીના નામનું પાટીયું બદલી જતું, તે કંપની એમ જ રહેતી તે ખાનગી કંપનીએ તેની આગળના ભાગમાં કમ્પાઉન્ડ વોલના નામે ૧૩૦૦ મીટર જેટલી જમીન પર દબાણ કર્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર રોડ પર એક વીઘાના એક-દોઢ કરોડ ભાવ ચાલી રહ્યો છે. ત્યારે ૧૩૦૦ મીટર જેટલી જગ્યા કે સવા કિલોમીટરનો એરીયા વર્ષોથી વાળેલો હતો, તે કંપની પર લેન્ડગ્રેબીંગ કે કંઈ કાર્યવાહી કેમ નહીં....? તે મોટો પ્રશ્ન છે કે પછી સમરથકો દોષ નહીં ગુંસાઈ....!!

દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં અગાઉ પણ અનેક વખત ડિમોલેશન થયા હતા, પણ કેટલાક સમય પછી આ દબાણો ફરી થઈ જતા હોય તેવું વ્યાપક થતું હોવા છતાં સરકારી તંત્રની આંખ ઉઘડતી નથી, તે પણ મોટો પ્રશ્ન છે...!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh