Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બંદર માર્ગે રોઝડુ દેખાતા કુતૂહલ

વનવિભાગે નિલગાયને યોગ્ય સ્થળે છોડી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરમાં ફરી એક વખત ગઈ રાત્રે 'રોઝ' રસ્તે રઝળતા જોવા મળ્યું હતું. આ બાબતની વન વિભાગને જાણ કરવામાં આવી હતી. પરિણામે તેને યોગ્ય સ્થાને મૂકવાની વ્યવસ્થા કરાઈ હતી.

જામનરના બેડીબંદર માર્ગે ગત્ રાત્રે રોઝડુ (નિલગાય) જોવા મળ્યું હતું. આ સમયે ત્યાંથી પસાર લોકોએ તેનો મોબાઈલમાં વીડિયો ઉતારી લીધો હતો તથા ફોટા પણ પાડી લીધા હતાં. આ વીડિયો-ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. જેની જાણ થતા વન વિભાગની ટીમ હરકતમાં આવી હતી, અને રોઝને પકડીને જંગલમાં મુક્ત કરવાની કામગીરી કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh