Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરેડ તથા મીઠાપુરમાં અન્ય બે વ્યક્તિના થયા મૃત્યુઃ
જામનગર તા. ૨૮: જામનગરના મોટી ખાવડીમાં રહેતા એક પરપ્રાંતીય યુવાનનું ઉંઘની હાલતમાં જ મૃત્યુ નિપજ્યું છે. દરેડ પાસે દરગાહ નજીકથી બેભાન હાલતમાં મળેલા યુવાન મૃત્યુ પામેલા જાહેર થયા છે. જ્યારે મીઠાપુર નજીક રેલવે ટ્રેક પાસે એક ભિક્ષુક હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ પામ્યા છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મોટી ખાવડીમાં રાજલક્ષ્મી ટાઉનશીપમાં રહેતા મૂળ પંજાબના અમૃતસરના જલાદી ગામના વતની અરવિંદ સિંગ ગુરૂદેવસિંગ (ઉ.વ.ર૮) નામના શીખ યુવાન ગુરૂવારે રાત્રે ભોજન લીધા પછી સુઈ ગયા હતા. ગઈકાલે સવારે ટિફિન બનાવવા માટે તેમની સાથે રહેતા અને એલ એન્ડ ટી કંપનીમાં સિગ્નલમેન તરીકે નોકરી કરતા અંગ્રેજસિંગ બલવીન્દરસિંગે તેઓને ઉઠાડયા હતા. બેભાન જેવા લાગતા અરવિંદસિંગને ખાનગી વાહનમાં સારવાર માટે જામનગર જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કરતા અંગ્રેેજસિંગે મેઘપર પોલીસને તેની જાણ કરી છે.
જામનગર નજીકના દરેડ પાસે એક દરગાહ નજીકથી ગઈકાલે સવારે મૂળ બિહારના વતની અને હાલમાં દરગાહમાં રહેતા પપ્પુભાઈ (ઉ.વ.૩પ) નામના યુવાન બેશુદ્ધ હાલતમાં મળી આવતા તેઓને સારવાર માટે લઈ જવાની તજવીજ કરાઈ હતી. દોડી આવેલી ૧૦૮ના સ્ટાફે આ યુવાનને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા સુર્યકાંતપ્રસાદ બિતેશ્વરપ્રસાદ મહંતોએ પોલીસને જાણ કરી છે.
દેવભૂમિ દ્વારકામાં ઓખા મંડળમાં આવેલા મીઠાપુર સ્થિત રેલવેના જૂના કવાર્ટર પાસે રેલવેની ખુલ્લી જગ્યામાંથી ગઈકાલે શિવરામ પંચુરામ ઉર્ફે સીરીયો નામના ૬૦ વર્ષના વૃદ્ધ ગુરૂવારે બપોરે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. આ વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર થતાં લીલાબેન ભાયાભા માણેક ઉર્ફે તારાબેન પંચુરામે મીઠાપુર પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial