Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસટી કોર્પોરેશન દ્વારા રજૂ થયેલી દલીલો ગ્રાહ્યઃ
જામનગર તા. ૨૮: જામનગરના એક આસામીના બાઈક સાથે એસટી બસ ટકરાઈ પડી હતી. તેમાં બસ ડ્રાઈવરનો છૂટકારો થયો હતો પરંતુ તેનો વાર્ષિક પગાર વધારો બે વર્ષ માટે બંધ કરવાનો એસટી કોર્પોરેશને નિર્ણય કર્યાે હતો તેની સામે ઈન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલમાં બસ ડ્રાઈવરે અરજી કરી હતી. તે અરજી ટ્રિબ્યુનલે રદ્દ કરી છે.
ખંભાળિયાથી દાહોદ જતી એક એસટી બસની હડફેટે વરતડી ગામ પાસે એક બાઈક આવી ચઢ્યું હતું. બાઈક ચાલકને ઈજા થઈ હતી. તેની ફરિયાદ કરાયા પછી બસના ડ્રાઈવર રમેશ અમરાભાઈ વાઘેલાનો વાર્ષિક પગાર વધારો બે વર્ષ માટે બંધ કરવાની સજા કરાઈ હતી.
તે હુકમ સામે રમેશ વાઘેલાએ નગરની ઈન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલમાં રેફરન્સ કેસ કર્યાે હતો. તે કેસ ચાલી જતાં એસટી કોર્પોરેશન તરફથી રોકાયેલા વકીલ ગૌરવ પંડયાએ દલીલ કરી હતી કે, અરજદારની ઈચ્છા મુજબનો પુરાવો રેકર્ડ પર ન આવે તો તેનો અર્થ એ નથી કે આ કર્મચારી બિલકુલ દોષિત નથી, તેને શંકાનો લાભ આપવામાં આવ્યો છે. તેથી પુરતા પુરાવાના અભાવે તેનો છૂટકારો થયો છે. ટ્રિબ્યુનલે અરજદારની અરજી રદ્દ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial