Advertisement
Author: નોબત સમાચાર

શહેરની શ્રી ગાયત્રી શકિતપીઠમાં નેત્ર યજ્ઞ, બીપી-ડાયાબિટીસનો નિઃશુલ્ક કેમ્પ

તા. પ જાન્યુ.એ એકયુપ્રેશર-દંત ચિકિત્સા સાથે

જામનગર તા. ૨૮: ગાયત્રી શકિતપીઠ-જામનગર અને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ- રાજકોટના સંયુકત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રયજ્ઞ, બી.પી., ડાયાબિટીસ, એકયુપ્રેશર તથા દંતચિકિત્સા કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ તા. ૫.૧.૨૫ના સવારે ૯ થી ૧૨ ગાયત્રી શકિતપીઠ, ત્રિપદા ભવન, માસ્તર સોસાયટી, શિવમ પેટ્રોલપંપની પાછળ, શરૂસેકશન રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે.

મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરી. હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે જયા દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે.

આ દિવસે ગાયત્રી શકિતપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એકયુપ્રેશર વિભાગ દ્વારા એકયુપ્રેશર કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે. જેમાં શરીરના કોઈપણ અંગના દુઃઉખાવા માટે એકયુપ્રેશર પદ્ધતિથી સારવાર આપવામાં આવશે તેમજ લાયન્સ કલબ જામનગરના સહયોગથી ડાયાબિટીસ તથા બી.પી.ની તપાસનો કેમ્પ પણ રાખેલ છે તેમજ દાંતના દર્દી માટે ડો. કાજલબેન પટેલ (બી.ડી.એસ.) તેમની સેવા આપશે, તો ઉપરોકત કેમ્પોનો લાભ લેવા માટે શ્રી ગાયત્રી શકિતપીઠે અનુરોધ કરેલ છે.

દર મહિનાની ૫ તારીખે નેત્ર નિદાન કેમ્પ નિશ્ચિત હોય છે તેમજ રાજકોટ જનાર દર્દીને શકિતપીઠમાં જમાડીને મોકલવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh