Advertisement
Author: નોબત સમાચાર

સંઘમાતા હેમલતાબા શાહ પરિવાર તરફથી સાધર્મિક ભકિત મહોત્સવનું આયોજન

જામનગર તા. ૨૮: પૂ. વિદૂષી લીલાવંતીબાઈ મહાસતીજીના સુશિષ્યા બા.બ્ર. કૌશલ્યાબાઈ મહાસતીજી આદીઠાણા- ૪ ની પાવન નિશ્રામાં સંઘમાતા હેમલતાબા શાહ પરિવાર તરફથી સાધર્મિક ભકિત મહોત્સવ યોજવામાં આવ્યો છે. આ મહોત્સવ તા. ૧૫-૧ થી તા. ૨૫-૧ સુધી શ્રી જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ ઉપાશ્રય, વારીઆ ડેલો, ચાંદીબજાર, જામનગરમાં રાખવામાં આવ્યો છે.

સ્થાનકવાસી જૈન મોટા સંઘના નેજા હેઠળ સાધર્મિક ભકિત મહોત્સવમાં પાંચ, ચાર અને ત્રણ સામાયિક સવારે ૮ થી ૧૨ અને સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ સુધી યોજાશે. જે શ્રાવક-શ્રાવિકા અનાજની કીટ મેળવવા ઈચ્છતા હોય તેમણે વારીઆ ડેલા-ઉપાશ્રયમાં વ્યાખ્યાન દરમ્યાન ઓછામાં ઓછી એક સામાયિક કરવાની રહેશે. ફોર્મ તા. ૧-૧-૨૫ના સવારે ૧૦ થી ૧૨ વાગ્યા દરમ્યાન ઉપાશ્રયમાંથી મેળવી લેવાના રહેશે. વધુ વિગત માટે અનસૂયાબેન શાહ મો. ૯૭૨૫૬ ૨૬૭૪૨ અથવા રીટાબેન મેતા મો. ૭૫૬૭૮ ૮૨૭૭૨નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh