Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બીમાર શ્વાનની સારવાર માટે પશુ હેલ્પલાઈને આવતીકાલની મુદ્દત આપી

મદદ માંગતા એક-બીજાના ફોન નંબર આપે છે !

જામનગર તા. ૨૮: રસ્તે રઝળતા બીમાર પશુઓની સારવાર માટે પશુ હેલ્પલાઈન નંબર સરકારે જાહેર કર્યો છે. પરંતુ સારવાર માટે મદદ માંગવા જતા સમયે એક-બીજાનાં નંબરો આપીને ખો આપવામાં આવે છે.

જામનગરના નવાનગામ (ઘેડ) મધુવન સોસાયટીમાં એક શ્વાન બીમારીથી તરફડીયા મારતા સ્થાનિક રહેવાસી સોનલબેન દ્વારા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાની મદદ માંગવામાં આવી હતી. આ પછી એનીમલ હેલ્પ લાઈન નં. ૧૯૬૨ નંબર ઉપર ફોન કરતા ૨૧ ફરિયાદો પેન્ડીંગ હોવાથી આજે મદદ મળશે નહી. તેવો જવાબ આપવામાં આવ્યો હતો. જરૂરત સમયે મદદ મળે નહી તો આવી સેવા શું કામની? આ પછી જામનગરના એનીમલ હેલ્પ લાઈનમાં ફોન કરી મદદ માંગવામાં આવી તો ત્યાંથી અન્ય બહેનનો મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો.

તે બહેનને ફોન કરવામાં આવતા તેમણે અન્ય એક એમ્બ્યુલન્સનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. આમ તમામે એક-બીજાના મોબાઈલ નંબર આપી ખો આપી હતી. પણ બીમાર શ્વાનની મદદ માટે કોઈએ હા પાડી નહતી.

આમ, પશુ સારવાર સેવાની ગુલબાંગો ફેંકાતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh