Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોમાં ફરજ બજાવતા હતાઃ
જામનગર તા.૨૮: જામનગર મહાનગરપાલિકામાં નોકરી કરતા એક મહિલાએ ઢાંકણીનું ઓપરેશન કરાવ્યા પછી પગમાં થતો દુખાવો સહન નહીં થતાં ગઈકાલે પોતાના ઘરે સાડી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી લીધી છે. પોલીસે તેઓના પતિનું નિવેદન નોંધ્યું છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારથી આગળ આવેલા બાલાજી પાર્ક-૩માં વસવાટ કરતા ગંગાબેન કિશનભાઈ ઘાવરી (ઉ.વ.પ૦) નામના પ્રૌઢાએ થોડા સમય પહેલાં ઢાંકણીનું ઓપરેશન કરાવ્યું હતું.
આ શસ્ત્રક્રિયા પછી તેણીને પગમાં દુખાવો થતો હતો. તે સહન ન થતાં ગઈકાલે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા દરમિયાન ગંગાબેને પોતાના ઘરમાં રહેલા એક પંખા માં સાડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો છે. તેઓનું મૃત્યુ નિપજ્યાનું પતિ કિશનભાઈ લાલજીભાઈ ઘાવરીએ પોલીસમાં જાહેર કર્યું છે. સિટી સી ડિવિઝન પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial