Advertisement
Author: નોબત સમાચાર

ગરીબોના ઝુંપડાઓ પર સરકારી બુલડોઝરઃ નિર્દય તંત્ર સામે પ્રચંડ જનાક્રોશ

શિયાળાની કડકડતી ઠંડીમાં પણ

દ્વારકા તા. ૨૮: યાત્રાધામ દ્વારકામાં એકથી વધુ જગ્યા પર ઝુંપડાઓ બાંધી દબાણ કરાયેલી જગ્યાને તંત્ર દ્વારા સરકારી બુલડોઝર ફેરવી ખાલી કરાવવામાં આવી હતી, જો કે આ ઝુંપડાઓમાં મુખ્યત્ત્વે ગરીબ, નિરાધાર, સાધુ-સંતોનો વસવાટ હોય, શિયાળાની કડકડતી ઠંડીમાં બીમાર-લાચાર સાધુઓના નિવાસસ્થાન છીનવાઈ જતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ઊઠી હતી.

દ્વારકા હ્યુમન રાઈટ્સના પ્રતિનિધિ દ્વારા પણ તંત્રની કામગીરી સામે સવાલો કરતા રોષ ઠાલવ્યો હતો. એક તરફ શહેરમાં ઠેકઠેકાણે મસમોટા નિયમ વિરૂદ્ધના ગેરકાયદે બાંધકામો ચાલી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી રહી છે ત્યારે કૃષ્ણના ધામમાં સાધુઓને નિરાધાર કરનારૃં તંત્ર મોટા દબાણકારો સામે પગલાં લેવાની ખુમારી દાખવશે કે કેમ? તેવી ચર્ચાઓ પણ વહેતી થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh