Advertisement
Author: નોબત સમાચાર

બોલો, મોટા કારખાનાના માલિકો, કરોડપતિઓના 'ગરીબ' સંતાનોએ લઈ લીધો આર.ટી.ઈ.નો લાભ !!

સુરત જિલ્લામાં રાઈટ-ટુ-એજ્યુકેશન ૧૦૦ એડમીશન રદ્દ થયા...!

ખંભાળીયા તા. ર૮: રાજય સરકાર દ્વારા ગરીબ વિદ્યાર્થી પણ સારી શાળાઓમાં પ્રવેશ મેળવીને શિક્ષણ મેળવે તે માટે આર.ટી.ઈ. રાઈટ-ટુ-એજ્યુકેશન એક્ટ હેઠળ ધો. ૮ સુધી મફત શિક્ષણ ખ્યાતનામ શાળાઓમાં મળતું હોય, પરંતુ કેટલાક પૈસાદાર વાલી કાગળ પર ખોટી રીતે ગરીબ બની જઈને ગરીબ વિદ્યાર્થીઓના આર.ટી.ઈ. હક્ક પર તરાપ મારતા હોવાનું બહાર આવ્યું છે.

૧૦૦ પ્રવેશ સુરતમાં રદ્દ

સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારના ધ્યાને આ બાબત આવતા તેમણે તપાસ કરતા કરોડો રૂપિયાના ઝીંગાના ખેતરોના માલિકો, મોટા કારખાનાના માલિકો પ૦-પ૦ લાખની લોનો લેનારા તથા વિદેશ પ્રવાસ ગયેલાઓ પણ ખોટા કાગળો બનાવીને આ આર.ટી.ઈ. યોજનાનો લાભ લેતા હોવાનું ખૂલતા ૧૦૦ પ્રવેશ રદ્દ થયા છે તથા તેમની સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે.

આર.ટી.ઈ. માં કેટલીક એવી શાળાઓ કે, જેમાં મોટા ડોનેશનો આપવા પડતા હોય, તેમાં પણ પ્રવેશ વિનામૂલ્યે અને પછી પણ ધો. ૮ સુધી વિનામૂલ્યે ફી ભર્યા વગર પ્રવેશ ચાલુ રહેતો હોય, અનેક જગ્યાએ આર.ટી.ઈ.નો બનાવટી છાત્રો લાભ લેવા મંડ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh