Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજય સરકારે નિયમો બનાવી તેનો અમલ કરાવતા
ખંભાળિયા તા. ૨૮: ગુજરાત રાજયમાં પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક તરીકે એચ. ટાટ શિક્ષક આચાર્ય તરીકે નિયુકિત છેક ૨૦૧૨માં કરવામાં આવેલી પરંતુ એચ. ટાટ મુખ્ય શિક્ષકની બદલીના નિયમો ૧૨ વર્ષ સુધી ના થતાં આ શિક્ષકોની બદલીઓ થતી ના હતી. તાજેતરમાં રાજય સરકાર દ્વારા નિયમો બનાવી જાહેર કરીને તેનો અમલ કરીને આંતરીક બદલીઓ તથા જિલ્લા ફેર બદલીના શીડયુલ પણ જાહેર કરવામાં આવતા હશે. હવે એચ. ટાટ શિક્ષકો પણ પોતાના વતનમાં પ્રાથમિક શિક્ષકોની જેમ જઈ શકશે તથા શિક્ષણ સાથે કૌટુંબીક તથા સામાજિક જવાબદારી પણ નિભાવી શકશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા એચ. ટાટ શિક્ષક સંઘના પ્રમુખ રામભાઈ ચાવડાએ આ પ્રશ્નનો ઉકેલ આવતાં રાજયના મુખ્યમંત્રી તથા મંત્રી, સચિવ વગેરેનો આભાર માન્યો છે હવે પ્રા. શાળાના આચાર્ય મુખ્ય શિક્ષક એચ. ટાટના તેમના પસંદગીની શાળા/સ્થળે બદલી થઈ શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial