Advertisement
Author: નોબત સમાચાર

વીજચોરીના કેસમાં વેપારીએ કરેલો દાવો નામંજૂરઃ વિશેષ કોસ્ટનો હુકમ

વીજ મીટર કબજે કરાયા પછી અપાયું હતું:

જામનગર તા.૨૮ : જામનગરના એક વેપારીને ત્યાંથી વીજ મીટર કબજે કરાયા પછી પુરવણી બીલ આપવામાં આવી વીજજોડાણ કાપી નખાયું હતું. તેની સામે વેપારીએ કરેલો દાવો અદાલતે નામંજૂર રાખી વિશેષ કોસ્ટ તરીકે રૂા.પ હજાર જમા કરાવવા વેપારીને આદેશ કર્યાે છે અને દાવો રદ્દ કર્યાે છે.

જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં વાહનની નંબર પ્લેટ બનાવવાનું કામ કરતા ધ્રુપત પરમારની દુકાનમાં વર્ષ ૨૦૧૦માં વીજ કંપનીની ટીમે ચકાસણી કરી જૂનું મીટર કબજે કર્યું હતું. તેની લેબમાં ચકાસણી કરાયા પછી મીટરના સીલ સાથે ચેડાં જણાઈ આવ્યા હતા. તેથી આ આસામીને રૂા.૧ લાખ ૯પ,૩૫૫નું બીલ અપાયું હતું.

તે બીલ ભરવામાં ન આવતા વીજજોડાણ કાપી નખાયું હતું. વીજ કંપનીની કાર્યવાહી ગેરકાયદે હોવાનું જણાવી ધ્રુપત પરમારે કોર્ટમાં દાવો કર્યાે હતો. તે દાવો ચાલી જતાં અદાલતે વીજચોરી પુરવાર થઈ રહી છે તેમ ઠરાવી વાદીનો દાવો ખર્ચ સાથે રદ્દ કરી વાદીએ રૂા.પ હજાર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં જમા કરાવવા તેવો આદેશ કર્યાે છે. વીજ કંપની તરફથી વકીલ અશોક નંદા, પૂનમ પરમાર રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh