Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં રંગારંગ કાર્યક્રમોઃ બોલીવૂડના સ્ટારોનો જમાવડો

સ્વ ધીરૂભાઈ અંબાણીનો જન્મ દિવસ અને રિલાયન્સ રિફાઈનરીને રપ વર્ષ પૂર્ણ થતાના ઉપ્લક્ષ્યમાં ધમાકેદાર ઉજવણી

જામનગરના એરપોર્ટ ઉપર છેલ્લા ત્રણ દિવસથી હિન્દી ફિલ્મ હિન્દી કલાકારોનો કાફલો આવી રહ્યો છે અને રિલાયન્સ ગ્રીન્સ તરફ રવાના થઈ રહ્યો છે. વિશ્વવિખ્યાત જામનગર સ્થિત રિલાયન્સ રિફાઈનરીને રપ વર્ષ પૂર્ણ થતા હોય અને રિલાયન્સના સ્થાપક સ્વ. ધીરૂભાઈ અંબાણીના તા. ર૮ ના જન્મ દિવસ નિમિત્તે આજથી ચાર દિવસીય રંગારંગ કાર્યક્રમો યોજાયા છે. અત્યાર સુધીમાં અનેક ફિલ્મ કલાકારો આવી ચૂક્યા છે. ગઈકાલે પણ ખાસ વિમાન માર્ગે સાહિલ ખાન, સલમાન ખાન, તેમના માતા, લુલિયા, રિતેશ દેશમુખ સહિતના કલાકારો આવ્યા હતાં. તેઓ જામનગર એરપોર્ટ ઉપર ઉતર્યા પછી રિલાયન્સ તરફ રવાના થયા હતાં. ઉપરાંત ગઈકાલે કોકિલાબેન અંબાણી, મુકેશભાઈ અંબાણી અને પરિવારના અનેક સદસ્યો પણ જામનગર આવી પહોંચ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh