Advertisement
Author: નોબત સમાચાર

શિવરાજપુર-નાગેશ્વર-રૂક્ષ્મણી મંદિરે પ્રવાસીઓ ઉભરાયાઃ દર્શન સાથે હરવા-ફરવાની મોજ

દ્વારકાદર્શન સર્કિટના યાત્રાધામો-પ્રવાસન સ્થળો

દ્વારકા યાત્રાધામ એ ભારતના પશ્ચિમી છેવાડાનું દેશના પ્રમુખ ચાર તીર્થો પૈકીનું એક તીર્થ, સપ્તપુરીમાંની એક પુરી, આદિ શંકરાચાર્ય સ્થાપિત ચાર મઠ પૈકીના એક મઠ ધરાવતું અલાયદુ યાત્રાધામ હોવાની સાથે સાથે શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિ હોય સામાન્યતઃ બારેમાસ યાત્રીકોની ભીડ રહેતી હોય છે. આ સાથે ટુરીઝમનાં સતત વિકાસને લીધે શિવરાજપુર બીચ, સુદર્શન સેતુ સહિતના સ્થળોએ ટુરીસ્ટ ફેસેલીટીમાં થયેલ વધારા પછી સમગ્ર દ્વારકા દર્શન સર્કિટના દ્વારકા બેટ દ્વારકા નાગેશ્વર જયોતિર્લિંગ - ગોપી તળાવ રૂકમણી મંદિરના તીર્થસ્થાનોની સાથોસાથ શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, ભડકેશ્વર બીચ સહિતના પર્યટન સ્થળો આવેલાં હોય હાલમાં ચાલી રહેલા ક્રિસમસના મીની વેકેશનમાં ગુજરાતીઓ તથા દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા હોય, પ્રવાસન સ્થળો પણ પર્યટકોથી છલકાતાં જોવા મળી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh