Advertisement
Author: નોબત સમાચાર

જામનગર એસ.ટી. વિભાગને સ્પેશ્યલ બસ દોડાવતા રૂપિયા ૬ લાખની વધારાની આવક

જામનગર તા. ર૮: જમજોધપુરના સીસદરમાં આયોજીત ધાર્મિક મહોત્સવમાં એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવતા બે દિવસમાં એસ.ટી. વિભાગને વધારાની છ લાખની આવક થવા પામી હતી.

શ્રી સવા શતાબ્દી ઉમિયા મહોત્સવ-સિદસરમાં મુસાફરી ધસારાને પહોંચી વળવા એસ.ટી. વિભાગ દ્વારા વધાાની બસો દોડાવવામાં આવી હતી.

જામનગર-રાજકોટ અને જૂનાગઢ ડિવિઝનમાંથી તા. રપ ના ર૩પ વધારાની ટ્રીપમાંથી રૂા. ૩,ર૧,૧૩૦ ની આવક મેળવાઈ હતી જેમાં ૭૭૮પ મુસાફરોએ આ બસ સેવાનો લાભ લીધો હતો, જ્યારે તા. ર૬ ના રરર વધારાની ટ્રીપ મારફત ૮ર૦પ મુસાફરોએ સેવાનો લાભ લતા રૂા. ૩,૦૯,૬૧પ ની આવક મળી હતી.

આમ સીદસરના મહોત્સવમાં એસ.ટી. વિભાગે બે દિવસમાં રૂા. ૬ લાખ ૩૦ હજારથી વધુની આવક મેળવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh