Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૨૧ માર્ચ સુધી દર શુક્રવારના આયોજનઃ
જામનગર તા. ૨૦: આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગરમાં કાયચિકિત્સા વિભાગ દ્વારા તા. ૨૧મી માર્ચ ૨૦૨૫ સુધી, દર શુક્રવારના સવારે ૯ થી ૧૨:૩૦ દરમિયાન ઓ.પી.ડી. રૂમ નંબર ૮ (ટીબી અને છાતીના રોગો વિભાગ), આયુર્વેદ હોસ્પિટલ, સિટી બી ડિવિઝન સામે, નિઃશુલ્ક નિદાન અને સારવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે લોકોને લાંબા સમયથી જૂની ઉધરસ, ઉધરસમાં લોહી આવવું, શરીરમાં સતત નબળાઇ રહેવી, લાંબા સમયથી તાવ, ભૂખમાં ઘટાડો, સતત વજન ઘટવું જેવાં લક્ષણો હોય તેમજ વારંવાર થતા જૂના ટી.બી. જેવા રોગો માટે અહીં નિદાન તથા સારવારની સેવાનો લાભ લેવા સંસ્થાના નિયામક પ્રો. તનુજા નેસરીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial