Advertisement
Author: નોબત સમાચાર

ડી.પી. કપાતમાં આવતા ૩૩૦ મિલકતધારકને જામ્યુકોની નોટીસ

ગાંધીનગરથી સ્વામિનારાયણનગર સુધીનો ૧ર મીટર પહોળાઈનો રોડ બનાવવા

જામગનર તા. ર૦: જામનગરમાં ગાંધીનગરથી સ્વામિનારાયણનગર સુધીનો ૧ર મીટર પહોળાઈનો રોડ બનાવવા માટે ડી.પી. કપાતમાં આવતી આશરે સવા ત્રણસોથી વધુ મિલકત ધારકોને વધુ એક વખત નોટીસ પાઠવાઈ છે.

જામનગરમાં સ્વામિ નારાયણનગર-ગાંધીનગર વચ્ચે ૩૦ મીટરની પહોળાઈનો રોડ બનાવવા આયોજન થયું હતું. આ પછી આ રોડની પહોળાઈ ટૂંકાવી ૧ર મીટરનો રોડ બનાવવા નિર્ણય પણ લેવાયો હતો. જેની અમલવારી માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ૩૩૦ જેટલા મિલકતધારકોને નોટીસ પાઠવાઈ હતી. અગાઉ પણ કપાતમાં આવતી તમામ મિલકતને નોટીસ અપાઈ હતી.

હાલ તમામ મિલકતધારકોને નોટીસની બજવણી કરવામાં આવી છે, અને ઉચ્ચ કક્ષાએથી મંજુરી મળતા મિલકતોની પાડતોડ શરૂ કરવામાં આવશે. આ માર્ગમાં કપાતમાં જતી આશરે ૩૩૦ મિલકતોમાં અમુક સૂચિતમાં સમાવિષ્ટ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh