Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઘોડેસવાર છત્રપતિ મહારાજ અને ફલોટસ સાથે નીકળી શોભાયાત્રાઃ ઠેર-ઠેર કરાયું સ્વાગત

શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ગણેશ મરાઠા મંડળ દ્વારા પસાયાથી જામનગર સુધી મશાલયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયાઃ

જામનગર શહેરમાં પણ શ્રી ગણેશ મરાઠા મંડળ - ચાંદી બજાર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને ગઈકાલે ૧૯ મી ફેબ્રુઆરી ૨૦૨૫ને બુધવારના સવારે ૭ વાગ્યે મહાકાળી મંદિર, પસાયા થી જામનગર સુધી મશાલયાત્રાનું આયોજન કરાયું હતું. તેમજ સાંજે પ વાગ્યે ચાંદી બજાર વિસ્તારમાંથી શોભાયાત્રા યોજાઇ. જેમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો ફ્લોટ્સ તેમજ શિવાજી મહારાજની વેશભૂષા ધારણ કરીને શુસોભીત ઘોડા પર નગર ભ્રમણ કરાવાયું હતું. જે શોભાયાત્રામાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા ૩૯ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા સતત ત્રીજી વખત છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી. જન્મ જયંતી નિમિત્તે સાંજે પાંચ વાગ્યે ચાંદીબજાર વિસ્તારમાંથી શિવાજી મહારાજનું શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. જે સેન્ટ્રલ બેંક રોડ, હવાઈ ચોક, ભાટની આંબલી, પંચેશ્વર ટાવર, બેડી ગેઇટ, રણજીત રોડ થઈ ફરી ચાંદીબજારમાં પરિપૂર્ણ થઇ હતી. જે શોભાયાત્રાના રૂટ પર ઘોડેસ્વાર છત્રપતિ શિવાજી મહારાજનો સ્વાગત કરાયું હતું અને શ્રી ગણેશ મરાઠા મંડળના હોદ્દેદારો પરિવાર સાથે જોડાયા હતા  તેમજ અન્ય લોકો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા. તે પહેલા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા પસાયા બેરાજા ગામમાં આવેલા માતાજીના મંદિરેથી માતાજીની જ્યોત લઈને કેટલાક યુવાનોએ પદયાત્રા કરીને છેક જામનગર સુધી આવ્યા હતા, અને માતાજીની જ્યોતનું જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh