Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા નોંધાયું:
જામનગર તા. ૨૦: જામનગરમાં ધીમે-ધીમે ઉનાળાનું આગમન થઈ રહ્યું છે. નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૩ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. એક જ દિવસમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ બાવીસ ટકા વધીને ૯૪ ટકા નોંધાયું હતું.
જામનગરમાં હાલ ઋતુ પરિવર્તનનો દોર ચાલી રહ્યો છે. ઋતુઓના સંક્રાંતિકાળ વચચે સિયાળો વિદાઈ લઈ રહ્યો છે તો બીજી તરફ ઉનાળાનું ધીમે-ધીમે આગમન થઈ રહ્યું છે. મોડી રાતે અનુભવાતી ઠંડી ઘણી જ ઘટી જવા પામી છે, તો બપોરે ધીમે-ધીમે ગરમીમાં વધારો થઈ રહ્યો છે.
નગરમાં ગુરુવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન પોણા ડીગ્રીથી વધુ ઘટીને લઘુતમ તાપમાન ૧૭.પ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૩ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. મહત્તમ તાપમાન વધુ રહેતા ગઈકાલે પણ બપોરે ગરમી અનુભવાઈ હતી.
નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ એક જ દિવસમાં બાવીસ ટકા વધીને ૯૪ ટકાએ પહોંચી ગયું હતું, જેના પગલે ખાસ કરીને વહેલી સવારે ધોરીમાર્ગો પર ધુમ્મસ જોવા મળી હતી, પરંતુ સૂર્યદેવતા ઉદીત થયા પછી ધીમે-ધીમે ધૂમ્મસનું જોર ઘટી જવા પામ્યું હતું. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial