Advertisement
Author: નોબત સમાચાર

માનસિક બીમારીથી કંટાળી ગયેલા વૃદ્ધે ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

પોલીસે નિવેદન નોંધી તપાસ હાથ ધરીઃ

જામનગર તા.૨૦ : જામનગરના રાજપાર્કમાં રહેતા એક વૃદ્ધે માનસિક બીમારીથી કંટાળી જઈને ગઈકાલે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

જામનગરના ગુલાબનગર રોડ પર આવેલા રાજપાર્કની શેરી નં.૩માં રહેતા નરેન્દ્રભાઈ હીરજીભાઈ બકરાણીયા નામના સડસઠ વર્ષના વૃદ્ધ છેલ્લા સાતેક વર્ષથી માનસિક બીમારી નો ભોગ બન્યા હતા. તેની સારવાર લેવા છતાં સારૂ થતું ન હોવાથી નરેન્દ્રભાઈ કંટાળી ગયા હતા.

આ વૃદ્ધે ગઈકાલે સવારે પોતાના ઘરમાં છતમાં રહેલા હુંકમાં દુપટ્ટા વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો છે. તેમના પુત્ર આનંદભાઈ બકરાણીયાએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ આદરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh