Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોરાડા ગામના સિદ્ધેશ્વર ભારતી મહારાજ આશ્રમમાં
દ્વારકા તા. ૨૦: શ્રી શારદાપીઠ કોલેજ દ્વારકા દ્વારા આયોજીત રાષ્ટ્રીય સેવા યોજનાની વાર્ષિક શિબિરનો પ્રારંભ દ્વારકા નજીક આવેલા કોરાડા ગામે સિદ્ધેશ્વર ભારતી મહારાજ આશ્રમમાં કરવામાં આવ્યો હતો.
ઉદઘાટન સમારોહમાં ડો. જયપ્રકાશ નારાયણ દ્વિવેદી, સરપંચ ડાડુભાઈ કંડોરીયા, ઈશ્વરભાઈ ઝાખરીયા, અશ્વિનભાઈ ગોકાણી, કે.જી. હિંડોચા, વાડીશાળાના આચાર્ય હિતેશ પુજારા, હેમંત સુવા, કોલેજના આચાર્ય સંદીપ વાઢેર, પ્રકાશ પાંડેય તેમજ કોલેજનો સમગ્ર સ્ટાફ, પ્રાથમિક શાળાની બાળાઓ અને એન.એસ.એસ. યુનિટના વિદ્યાર્થી ભાઈ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કાજલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. એન.એસ.એસ.ની માહિતી પ્રોગ્રામ ઓફિસર જગદીશ ટાંકોદરા અને હર્ષા વાળાએ આપી હતી. આભાર દર્શન વ્યોમેશ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial