Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાના સિદ્ધપુર પાસે દુર્ઘટનાઃ
જામનગર તા.૨૦ : કલ્યાણપુરના ભાટીયા ગામના એક યુવાન મંગળવારે ખંભાળિયા પાસે સિદ્ધપુર ગામ નજીક એક પવનચક્કીના મેઈન્ટેનન્સ માટે ચઢ્યા પછી કોઈ રીતે પટકાઈ પડતા મોતને શરણ થયા છે.
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં રહેતા વિક્રમ ભાઈ રામશીભાઈ ગોજીયા (ઉ.વ.ર૪) નામના યુવાન મંગળવારે બપોરે ખંભાળિયા નજીકના સિદ્ધપુર ગામના વાડી વિસ્તાર પાસે આવેલી સુઝલોન કંપનીની પવનચક્કી પર સફાઈ અને મેઈન્ટેનન્સનું કામ કરવા માટે ચઢ્યા હતા.
આ વેળાએ કોઈ રીતે વિક્રમભાઈ પવનચક્કી પરથી પટકાઈ પડતા આ યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. રામદેભાઈ પેથાભાઈ પરમારે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial