Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારીયા, છરી, પાઈપના ફટકા મારવામાં આવ્યાઃ
જામનગર તા.૨૦ : જામનગરના નવાગામ ઘેડ પાસે આવેલા કબીરનગરમાં રહેતા એક પ્રૌઢને સોમવારે રાત્રે ઘર બહાર બોલાવી ત્રણ શખ્સે છરી તથા પાઈપ, ધારીયાથી માર મારી વચ્ચે પડનાર આ પ્રૌઢના પુત્ર તથા ભાણેજને પણ લમધાર્યા હતા.
જામનગરના નવાગામ ઘેડ પાસે આવેલી નવી ડેન્ટલ હોસ્પિટલ સામે કબીરનગરમાં રહેતા સલીમખાન કરીમખાન લોદીન સોમવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં ધસી આવેલા ધરારનગર-૧વાળા જાવેદબાપુ, જુનેદ દોઢીયા, અહેમદ દોઢીયા નામના શખ્સો એ તેને બહાર બોલાવ્યા હતા.
ત્યારપછી આ શખ્સોએ છરી, પાઈપ, ધારીયા વડે હુમલો કરી માર માર્યાે હતો. વચ્ચે પડનાર સલીમખાનના પુત્ર સરફરાઝ તથા ભાણેજ ઝાકીર સોલંકીને પણ માર મારવામાં આવ્યો હતો. સારવારમાં ખસેડવામાં આવેલા સલીમ ખાને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંેંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial