Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા તથા કલ્યાણપુરના બે પીઆઈને લિવ રિઝર્વમાં મૂકી દેવાયા

રાવલ આઉટ પોસ્ટના ફોજદાર તેમજ

ખંભાળિયા તા.૨૦ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ તંત્રમાં ફરજ બજાવતા બે પીઆઈ તથા એક ફોજદારને લિવ રિઝર્વમાં મૂકી દેવાનો એસપીએ ગઈકાલે આદેશ કર્યાે છે. જેના પગલે ખળભળાટ મચી ગયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૫ોલીસતંત્રમાં બિનહથિયાર ધારી પીઆઈ તથા પીએસઆઈ ની ફરજ બજાવતા કુલ પૈકીના ત્રણ અધિકારીને લિવ રિઝર્વમાં મૂકી દેવાનો જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયે હુકમ કર્યાે છે.

હાલમાં ખંભાળિયા પોલીસ મથકમાં પીઆઈ તરીકેની ફરજ બજાવતા બી.જે. સરવૈયાને લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. જ્યારે કલ્યાણપુરના પીઆઈ કે.બી. રાજવી તથા કલ્યાણપુર પોલીસ મથક હેઠળ આવતી રાવલ આઉટ પોસ્ટના પીએસઆઈ વિજય આર. શુકલને પણ લિવ રિઝર્વમાં મુકી દેવાનો હુકમ આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh