Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વસ્થ માતા-સંતાનોને હોસ્પિટલ પહોંચાડાયાઃ
જામનગર તા.૨૦ : લાલપુર પંથકની એક સગર્ભા શ્રમિક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ૧૦૮માં હોસ્પિટલ લઈ જવાતા હતા ત્યારે પીડા વધી જતા ૧૦૮માં જ પ્રસૂતિ કરાવવી પડી હતી. જેમાં બે બાળકો અવતર્યા પછી ત્રણેય માતા-સંતાનને વધુ સારવાર માટે જામનગર ખસેડાયા છે.
લાલપુર પંથકમાં વસવાટ કરતા એક શ્રમિક પરિવારના મહિલા સગર્ભા બન્યા પછી ગઈકાલે તેણીને પ્રસુતીની પીડા ઉપડતા ૧૦૮ને કોલ કરવામાં આવ્યો હતો. જેના પગલે ઈએમટી આલાભાઈ ડાંગર અને પાયલોટ અરજણભાઈ રાડા રવાના થયા હતા.
સગર્ભાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાતા હતા ત્યારે પીડામાં ખૂબજ વધારો થઈ જતાં ઈએમટી આલાભાઈ એ ૧૦૮ હેડ ઓફિસના ડો. મિલન તથા ડો. અતુલના માર્ગદર્શન હેઠળ ચાલુ વાહને આ મહિલાને પ્રસુતી કરાવી હતી. જેમાં બે બાળકો અવતર્યા હતા. બંને બાળક તથા માતાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જિલ્લાના પ્રોગ્રામ મેનેજર મનવીર દ્વારા આ એમ્બ્યુલન્સના ઈએમટી તથા પાયલોટને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial