Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરિયામાં ડૂબેલી સાંસ્કૃતિક વિરાસતના સંરક્ષણનું મિશનઃ
દ્વારકા તા. ર૦: પુરાતત્ત્વવિદો દ્વારા દ્વારકાના દરિયાની અંદર સંશોધન કાર્ય શરૂ કરાયું છે. સમુદ્રમાં ગરકાવ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા પ્રયાસો થઈ રહ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આર્કોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના પાંચ પુરાતત્ત્વવિદોની એક ટીમ દ્વારા યાત્રાધામ દ્વારકા નજીકના સમુદ્ર કિનારે પાણીની અંદર સંશોધન કાર્યનો પ્રારંભ કર્યો છે. ભારતીય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા જણાવ્યા અનુસાર ભારતના સમુદ્રમાં ગરકાવ થયેલ સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત કરવા મહત્ત્વના મીશનના ભાગરૂપે પુરાતત્ત્વ વિભાગની મહિલા સભ્યો સહિતની પાંચ સદસ્યની ટીમ દ્વારા સંશોધન કાર્યનો પ્રારંભ કર્યો છે.
પુરાતત્ત્વ ખાતાની નવીનીકૃત અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારા એ.ડી.જી. પ્રોફેસર આલોક ત્રિપાઠીની આગેવાનીમાં પાંચ સદસ્યોની ટીમ દ્વારા યાત્રાધામ દ્વારકા તથા બેટ-દ્વારકામાં કિનારાથી દૂર સમુદ્રની અંદર સંશોધન કાર્યને પુનર્જિવિત કરવામાં આવ્યુું છે, અને દ્વારકાના દરિયામાં ગ્રાઉન્ડ બ્રેકીંગ અન્ડરવોટર સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
પ્રોફેસર આલોક ત્રિપાઠી તથા તેમની ટીમના એચ.કે. નાયક, અપરાજિતા શર્મા, પૂનમ વિંદ, રાજકુમારી બાર્બીના સહિતની ટીમે ગોમતી નદીના ક્રીક વિસ્તારમાં પ્રારંભિક તપાસ કાર્યનો પ્રારંભ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ વખત એ.એસ.આઈ. દ્વારા નોંધપાત્ર મહિલા સદસ્યોને સમુદ્રની અંદરના તપાસકાર્યમાં ભાગ લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial