Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જમીનની વારસાઈ અંગેના પ્રકરણમાં સુપ્રિમનો હુકમ

હાઈકોર્ટનો આદેશ યથાવત રખાયોઃ

જામનગર તા.૨૦ : જામનગરની એક જમીનનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યા પછી સુપ્રિમ કોર્ટે પણ રેવન્યુ રેકર્ડમાં એક વારસનું નામ હોવાથી બાકીના વારસનો હક્ક પૂર્ણ થતો નથી તેવા નીચેની કોર્ટના હુકમને યથાવત રાખવા આદેશ કર્યાે છે.

જામનગરમાં આવેલી ખેતી ની એક જમીન કાસમ મુસા ઘાંચીના નામે હતી. તેમના અવસાન પછી તમામ વારસનો તેમાં હક્ક-હિસ્સો હતો.

તે પછી પુત્ર સલેમાન કાસમ ના વારસ કાદર, ગની, હફીઝા તથા ફાતેમાબેનના નામ પ્રસ્થાપિત થયા હતા. આ જમીનમાં કાસમભાઈની પુત્રી મરીયમ, ખતીજા, રાભીયા કાસમના હક્ક હતા. તે હિસ્સો મેળવવા જામનગર કોર્ટમાં દાવો કરાતા મંજુર થયો હતો. તે હુકમ સામે હાઈકોર્ટમાં પીટીશન થઈ હતી. ત્યાં પણ મરીયમ કાસમ વગેરેનો વિજય થતાં આ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો. સર્વોચ્ચ અદાલતે મરીયમ કાસમ વગેરેના વકીલ પ્રીતિકા દ્વિવેદી, અભિષેક મોહંતે, ગિરીશ ગોજીયાની દલીલો ગ્રાહ્ય રાખી નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh