Advertisement
Author: નોબત સમાચાર

ગોંડલમાં બે માળનું મકાન રિનોવેશન દરમિયાન ધરાશાયી થતા ત્રણ દબાયાઃ એક મહિલાનું મૃત્યુ

ફાયર બ્રિગેડ દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયુઃ આગેવાનો પણ દોડયા

ગોંડલ તા. ૨૦: ગોંડલમાં મકાન ધરાશાયી થતાં એક પરિવારના ૩ દટાયા હતા. રિનોવેશન દરમિયાન બે માળનું મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું છે. રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે.

ગોંડલના સહજાનંદ નગર ગરબી ચોક પાસે આજે સવારે ૭ વાગ્યે રિનોવેશન દરમિયાન બે માળનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં પતિ-પત્ની અને વૃદ્ઘ માતા દટાયાં હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાવમાં એક મહિલાનું મોત થયું છે.

આ બનાવમાં સુનિલભાઈ વરધાણી, તેમનાં પત્ની ઉષાબેન વરધાણી તેમજ તેમની માતા મિતાબેન વરધાણી કાટમાળમાં દબાયાં હતાં. મકાન ધડાકાભેર તૂટી પડતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સાથે એક જેસીબી, ક્રેઇન, એમ્બ્યુલન્સ સાથે રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.

રેસ્ક્યૂ ઓપરેશન હાલ ચાલી રહૃાું છે. જેમાં કાટમાળમાંથી ઉષાબેન વરધાણીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાતાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં છે. તેમના સાસુ મિતાબેન વરધાણીને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યારે કાટમાળમાં દબાયેલા સુનિલભાઈ વરધાણી મકાનના બીમ નીચે ફસાયા હોવાથી તેમનું રેસ્ક્યૂ કરવામાં આવી રહૃાું છે. ઘટનાની જાણ થતા જ ગોંડલના ધારાસભ્યના ગીતાબાનો પુત્ર જ્યોર્તિરાદિત્ય સિંહ જાડેજા પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh