Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખનીજચોરો ઉ૫ર અંકુશ જરૂરી
જામનગર તા. ૨૦: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામસખપુર ગામની નદીમાંથી તથા વોકરામાંથી બે ધડક રીતે ખનીજ રેતી ચોરી થતી હોવા અંગે જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા, ભૂસ્તર શાસ્ત્રી વગેરે સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તરસાઈ ગામના લાખાભાઈ રાજાભાઈ કોડીયાતરએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, જામસખપુર ગામની નદીમાંથી ગેરકાયદે ૧૫ જેટલા ટ્રેકટર, ડમ્પરમાં ખનીજ, રેતી ચોરીને લઈ જવામાં આવે છે. આમ સરકારની લાખો રૂપિયાની રોયલ્ટીની ચોરી કરવામાં આવી રહી છે.
આ બાબતે વિરોધ કરવા જતા ભાઈ, પિતા ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો. જે અંગે ચારેક દિવસ પહેલા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવાઈ હતી. આ ખનીજ ચોરી સદંતર બંધ કરાવવી જોઈએ અને કાનુની પગલા લેવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial