Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છત્તીસગઢના સુકમામાં
રાયપુર તા. ૯: છત્તીસગઢના સુકમામાં નક્સલીઓ દ્વારા આઈઈડી બ્લાસ્ટ થતા એએસપી આકાશ રાવ શહીદ થયા છે, અને અનેક જવાન ઘાયલ થયા છે.
છત્તીસગઢના સુકમામાં નક્સલીઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. કોન્ટા નજીક કુંડીગુડામાં નક્સલીઓએ ઈમ્પુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ બ્લાસ્ટ કર્યો છે. તેમણે અધિકારીની કારને ઊડાવી દીધી હતી, જેમાં કોન્ટા આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ આકાશ રાવ ગિપુંજે શહીદ થયા છે, જ્યારે અન્ય જવાનો ઘાયલ થયાના અહેવાલ છે.
અહેવાલો અનુસાર નક્સલીઓએ મંગળવારે (૧૦ મી જૂન) બંધનું એલાન આપ્યું હતું, જેને લઈને એએસપી આકાશ રાવ તેમની ટીમ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતાં. આ દરમિયાન તે કોન્ટા-એરાબોરા રોડ પર નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો, જેમાં એએસપી આકાશ રાવ ગિરપુંજે શહીદ થયા છે અને કેટલાક જવાનો ઘાયલ થયા છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એએસપી આકાશ રાવ ગિરીપુંજે રાયપુર અને મહાસમુંદમાં ફરજ બજાવતા હતાં. તેમનો પરિવાર રાયપુરમાં જ રહે છે.
ઉલ્લેખનિય છે કે, છત્તીસગઢના બીજાપુર જિલ્લાનું ગાઢ જંગલ, જે એક સમયે નક્સલીઓના ડર અને આતંકનો પર્યાય માનવામાં આવતું હતું. તે હવે સુરક્ષા દળોની વ્યૂહાત્મક સફળતાનું સાક્ષી બની રહ્યું છે. પાંચમી, છઠ્ઠી અને સાતમી જુન-ર૦રપ ના એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ સાત નક્સલીઓ ઠાર મરાયા છે. મહત્ત્વની વાત એ છે કે આ માર્યા ગયેલા નક્સીલીઓમાં બે ટોચના લીડર સુધાકર અને ભાસ્કરનો પણ સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial