Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ઢોરના ડબ્બામાં પાણી-ઘાસચારો પહોંચાડ્યો

સંસ્થાકીય સહયોગથી કોર્પોરેટરે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં ઢોર માટે પૂરતો ઘાસચારો અને પાણીની સુવિધાનો અભાવ જોવા મળતા આ સુવિધા સંસ્થાએ પૂર્ણ કરી હતી.

ઢોરના ડબ્બામાં બે દિવસ પહેલા વોર્ડ નંબર ૧ર ના કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફીએ આકસ્મિક મુલાકાત લીધી હતી. આ સમયે ચારેક ગાય મૃત હાલતમાં અને ચાર ગાયો બીમાર જોવા મળી હતી.

આ ઉપરાંત પીવાના પાણીની કૂંડીમાં પાણી પણ ન હતું, તેમજ ઢોરને પૂરતો ઘાસચારો આપવામાં આવતો નહીં હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાનો આક્ષેપ કોર્પોરેટર દ્વારા કરાયો હતો.

આથી કોર્પોરેટર જેનબબેન ખફીએ ઝહરા ફાઉન્ડેશન સંસ્થાના સહયોગથી આ ઢોરના ડબ્બામાં ઘાસચારો મોકલ્યો હતો અને ઢોરને પાણી પીવાનું મળી રહે તે હેતુથી પાણીની ટાંકીઓની સુવિધા આપી હતી.

આમ જે કામ મહાનગર પાલિકાએ કરવાનું હોય તે કામ કોર્પોરેટરે કરી પશુ પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh