Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અખિલ ભારતીય સફાઈ મઝદુર કોંગ્રેસનો સણસણતો આક્ષેપ
જામનગર તા. ૯: જામનગર મહાનગરમાં ઓફિસ સ્ટાફ અને સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદારોને નિવૃત્તિ હક્ક-હિસ્સા કે ચાલુ નોકરીએ અવસાન થયા ૫છી હક્ક-હિસ્સાની ચૂકવણીમાં ભેદભાવ રાખવામાં આવે છે.
આ બાબતે સંબંધિત અધિકારી સમક્ષ રજૂઆતો પણ કરી હતી, અને માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી માંગવામાં આવ્યા પછી આધાર-પુરાવા સાથે રજૂઆત કરી હતી, પરંતુ સોલીડ વેસ્ટ મહેકમ શાખા આ બાબતે કામદારોને ન્યાય મળે તેવી કામગીરી કરતું નથી.
અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસના પ્રમુખ હરિશભાઈ કાનજીભાઈ ચૌહાણએ એક રજૂઆતમાં જણાવ્યું છે કે, ઓફિસ સ્ટાફને કાયમી નોકરી પહેલા રોજમદાર કે ટેમ્પરરી નોકરીના વારસો અન્વયે નિવૃત્તિ વખતે આવી અન્વયે ગ્રેચ્યુટી ચૂકવવામાં આવે છે. જ્યારે સફાઈ કામદારને અવેજી નોકરી, ફિક્સ પગારની નોકરીની ગ્રેચ્યુટી ચૂકવવામાં આવતી નથી. આ બાબતે ચારેક માસ પહેલા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં શાખા અધિકારીને નીતિવિષયક નિર્ણય હોવાનો જવાબ રજૂ કર્યો હતો. હકીકતે આ જવાબ ગેરવ્યાજબી અને ખોટો છે, તેમજ મુખ્યમંત્રી કાર્યાલયને પણ ઉઠા ભણાવાય છે. આમ કામગીરીમાં જાણી જોઈને વિલંબ કરવામાં આવે છે. જેમાં ભેદભાવ સ્પષ્ટ જોવા મળે છે.
કચરાનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીના કામદારો ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તેમને પગાર ઉપરાંત પીએફના લાભ આપવાના થાય છે, પરંતુ રજૂઆત કરવા જતા નારાજ એજન્સીએ ૮૦ કામદારોને છૂટા કરી દીધા હતાં. જો સત્વરે કામદારોના પ્રશ્નનો નિકાલ લાવવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ અપાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial