Advertisement
Author: નોબત સમાચાર

શિક્ષક સંઘ દ્વારા ઉપસચિવનું સન્માન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા, મહામંત્રી મનોજભાઈ પટેલ અને ખજાનચી અશોકભાઈ રાવત દ્વારા બઢતી મેળવનાર ઉપસચિવ આર.એસ. ઠાકોર અને દિલીપભાઈ નાઈનું સન્માન કરી અને બઢતી બદલ શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણના એરિયર્સનો પ્રશ્ન મહાનગર પાલિકાના શિક્ષકોને ૧૦૦ ટકા રાજય સરકારની ગ્રાન્ટ બાબત મુખ્યમંત્રી અને નાણા મંત્રીને રજૂઆત કરી તેમજ શાળા સહાયક ભરતીની પ્રક્રિયા એસ.એમ.સી મારફત ઝડપથી કરવા અને જૂથ વીમા યોજનાના પ્રશ્ન બાબત રજૂઆત કરી હતી. સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી નિયામક જોશી સાથે પેન્શન વિભાજન મુદે અને જૂથ વીમા યોજના બાબત ચર્ચા કરી હતી. આ ઉપરાંત આશ્રિતોને ઉચ્ચક નાણાકીય સહાય બાબત નાણા વિભાગમાં ફોલોઅપ ચર્ચા કરી. આગામી સમયમાં નવી મૂલ્યાંકન વ્યવસ્થા અને પેન્ડિંગ પ્રશ્નો બાબત સરકાર દ્વારા સમીક્ષા મિટિંગ યોજી અને પ્રશ્નો ઉકેલવામાં આવશે. તેમ હોદ્દેદારોએ જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh