Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેન્શનર મંડળના પ્રમુખે મ્યુનિ. કમિશનરને કરી રજૂઆત
જામનગર તા. ૯: જામનગર મહાનગરપાલિકા દ્વારા પેન્શનરના અવસાન સમયે ચૂકવવામાં આવતી રાહતની ચૂકવણી સરકારના પરિપત્ર મુજબ ચૂકવવામાં આવે તેવી માગણી-રજૂઆત કરવામાં આવી છે.
જામનગર મહાનગર પાલિકા પેન્શનર મંડળના પ્રમુખ કનુભા ઝાલાએ મ્યુનિ. કમિશનર-જામનગરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, જામનગર મહાનગર પાલિકાના પેન્શનરના વારસદારને વર્ષો પહેલા નક્કી થયા મુજબ આવા કિસ્સામાં રૂ. પ૦૦ ચૂકવવામાં આવે છે. તેમાં વર્ષો પહેલા રાજ્ય સરકારે સુધારો કર્યો હતો.
જેમાં પેન્શરના અવસાનના કિસ્સામાં તેના વારસદારને એક માસના પેન્શનની રકમ ચૂકવવા નિર્ણય કરાયો હતો, પરંતુ જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્ણયનો અમલ કરવામાં આવતો નથી અને જુના જનરલ બોર્ડના ઠરાવ મુજબ રૂ. પ૦૦ ની રકમમાં સુધારો કરવામાં આવતો નથી. સરકારના જી.આર.નો સત્વરે અમલ કરી આ રકમના વધારાનો લાભ ચૂકવવો જોઈએ તેવી પણ માગણી આ પત્રમાં કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial