Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઓજી ટીમે કરી ચકાસણીઃ
જામનગર તા. ૯: ખંભાળિયાના ઉગમણાબારા ગામમાં રહેતા એક શખ્સ પાસે હથિયારનો પરવાનો હોવાથી તેણે હથિયાર ખરીદ્યા પછી જિલ્લા મેજીસ્ટ્રેટના હુકમ મુજબ પોલીસ મથકમાં જમા ન કરાવતા તેની સામે એસઓજીના કર્મચારીએ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. ખંભાળિયા તાલુકાના સલાયા નજીકના ઉગમણાબારા ગામમાં વસવાટ કરતા અને પાક રક્ષણ માટે હથિયારનો પરવાનો ધરાવતા મહાવીરસિંહ માનસંગજી જાડેજા નામના આસામીએ પોતાનું હથિયાર પોલીસ મથકમાં જમા કરાવ્યું નથી તેવી વિગત એસઓજીને મળી હતી. તે બાતમીના આધારે શનિવારે સાંજે ઉગમણાબારા ગામમાં મહાવીરસિંહના રહેણાંકમાં એસઓજી ટીમે ચકાસણી કરી હતી. આ શખ્સ પાસે હથિયાર હોવા છતાં તેણે જમા ન કરાવતા પો.કો. એમ.બી. ગોહિલે ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. આરોપીની શોધ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial