Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઠ-દસ લોકોને હોસ્પિટલે લઈ જવાયાઃ રેલવે સેવા પ્રભાવિત
મુંબઈ તા. ૯: મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનમાંથી ૮ યાત્રિકો પટકાયા હોવાનું જાણવા મળ્યું, તેમાંથી પાંચના મોતની આશંકા સેવાઈ રહી છે.
મુંબઈના થાણેમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે. થાણેના મુમ્બ્રા રેલવે સ્ટેશન પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ તરફ જતી લોકલ ટ્રેનમાંથી ઘણાં મુસાફરો પાટા પર પડી ગયા હતા. અકસ્માત બાદ રેલવે અને જીઆરપીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
આ મામલે સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું હતું કે ટ્રેનમાં વધારે પડતી ભીડ હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે. મળતી માહિતી મુજબ, આશરે ૮ થી ૧૦ મુસાફરો ટ્રેનમાંથી નીચે પડી ગયા છે. જેમાં પાંચ લોકોના મોત થયાની આશંકા છે. અકસ્માતનું કારણ ટ્રેનમાં વધુ પડતી ભીડ હોવાનું કહેવાય છે. જો કે, આ ઘટના બાદ રેલવે સેવાઓ પ્રભાવિત થઈ છે.
આ મામલે રેલવે મધ્ય રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલાએ મુંબઈ લોકલ ટ્રેન દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ થી કસારા વચ્ચે ચાલતી લોકલ ટ્રેનના ગાર્ડે અમને જાણકારી આપી છે કે ૮ લોકો ટ્રેનના પાટા પર પડી ગયા હતા. આ લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે રેલવે દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણકારી અમને લગભગ સવારે ૯:૫૦ વાગ્યાની આસપાસ પહોંચી, હાલ બધા લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.
આ દુર્ઘટના વિશે રેલવે સીપીઆરઓએ વધુમાં જાણકારી આપતા કહ્યું કે, આ લોકો લોકલ ટ્રેનના દરવાજા પર ઊભા રહીને મુસાફરી કરી રહ્યા હતા. વધુમાં હવે જે નવી લોકલ ટ્રેન આવશે તેના બધા એ.સી. રેક છે, જેમાં ઓટોમેટિક દરવાજા બંધ કરવાની સુવિધા છે. જેથી આવી ઘટના ટાળી શકાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial