Advertisement
Author: નોબત સમાચાર

કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉ. ગુજરાતના જળાશયોમાં ૩૦ ટકાથી ઓછુ જળસ્તર

રાજ્યના ૨૬ ડેમોમાં ૫૦ ટકાથી વધુ જળસ્તરઃ

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૯: ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉ.ગુજરાતના મહત્તમ જળાશયોમાં જળસ્તર ૩૦ ટકાથી પણ ઓછું છે. જયારે ૨૬ ડેમોમાં ૫૦ ટકાથી વધુ છે.

ગુજરાતમાં૧૦ જુન સુધીમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ જાય તેવી સંભાવના હતી. પરંતુ હવે ચોમાસા માટે રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ જળસ્તરમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતના ૨૦૬ જળાશયોમાં હાલ સરેરાશ ૪૪.૮૯ ટકા જળસ્તર છે.

હાલ બે જળાશયોમાં ૯૦ ટકાથી વધુ ૧માં ૮૦ ટકાથી ૯૦ ટકા, ૩માં ૭૦ ટકાથી ૮૦ ટકા જેટલું જળસ્તર છે. ૨૦૦ જળાશયોમાં જળસ્તર હવે ૭૦ ટકાથી ઓછું છે. હાલમાં મહીસાગરના વણાકબોરીમાં સૌથી વધુ ૯૩.૩૯ ટકા, મોરબીના મચ્છુ-૨માં ૯૨.૯૯ ટકા, સુરેન્દ્રનગરના ધોળી ધજામાં ૯૨.૮૪ ટકા સાથે સૌથી વધુ જળસ્તર છે. આ સિવાય ૭૦ ટકાથી વધુ જળસ્તર હોય તેમાં કચ્છના કાળાઘોઘા, રાજકોટના ભાદર-૨, આજી-૨, છોટા ઉદેપુરના સુખીનો સમાવેશ થાય છે.

ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં ૨૯.૫૬ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૪૪.૪૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૪૩.૯૬ ટકા, કચ્છના ૨૦ ડેમોમાં ૨૭.૭૮ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં ૨૮.૪૭ ટકા, સરદાર સરોવરના ૦૧ ડેમોમાં ૫૪.૦૭ ટકા મળતા કુલ ૨૦૭ ડેમોમાં ૪૪.૮૯ ટકા જળસ્તર રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh